VIDEO: 'પશુ પણ નથી ખાતા…', જાફરાબાદ-સાવરકુંડલાના ખેડૂતોએ માવઠાથી નિષ્ફળ ગયેલા મગફળીના પાથરા સળગાવ્યા
Published: November 7, 2025 •
Language: English

Amreli News : ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. કપાસ, મગફળ સહિતનો પાક નાશ થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. જેમાં અમરેલીના મોટાભાગના વિસ્તારોમાં અતિભારે માવઠું થતાં ખેડૂતો પાયમાલ થયા છે. તેવામાં જાફરાબાદ દરિયાઈ પંથકમાં આવેલા મોટા માણસા ગામે ખેડૂતના 16 વીઘામાં વાવેલી મગફળીમાં સંપૂર્ણપણે નુકસાન થયું છે.
