Dakshin Gujarat

બે સદી જેટલા સમયથી ભગવાન સ્વામી નારાયણની પાઘડી ભાઈબીજના દિવસે જાહેર દર્શન માટે મૂકવામાં આવે છે

Published: November 4, 2025 • Language: English

વિક્રમ સંવત બદલાઈ એટલે હિન્દુઓનું નવું વર્ષ આવે છે અને સુરત જ નહી પરંતુ વિશ્વમાં રહેતા હિન્દુઓ આ દિવસને ભારે ધામધૂમથી ઉજવે છે. સુરતીઓ આ દિવસને તો ભારે ધામધૂમથી ઉજવે છે પરંતુ અનેક સુરતીઓ એવા છે જેમને  નવા વર્ષ કરતાં પણ ભાઈબીજની વધુ આતુરતાથી રાહ જોતા હોય છે. એનું કારણ એ છે કે બે સદી જેટલા સમયથી સુરતના સૈયદપુરા વિસ્તારમાં એક પારસી પરિવાર દ્વારા  ભગવાન સ્વામીનારાયણની પાઘડી ભાઈબીજના દિવસે જાહેર દર્શન માટે મૂકવામાં આવે છે  બે સદી જેટલા સમયથી  વર્ષ પૂર્વે સ્વામીનારાયણ ભગવાન સુરત આવ્યા હતા ત્યારે તે સમયના કોટવાળ તરીકે કાર્ય કરતા અરદેશરને ભેટ આપી હતી. ત્યારથી આ પાઘડીને સુરતમાં આજ દિન સુધી સેવા કરી સાચવવામાં આવી છે. અને ભાઈ બીજના દિવસે હજારો શ્રધ્ધાળુઓ આ પાધના દર્શન કરવા માટે આવે છે. 

Read more

← Back to Home