બોટાદ : 10 દિવસ બાદ ખંડણીખોરે ફરી બિલ્ડરના ઘર પર પથ્થરમારો કર્યો, 28 લાખની ખંડણી માંગી
Published: December 1, 2024 •
Language: English

શખ્સે બિલ્ડરને અગાઉ ફોન કરી બાંધકામ શરૂ રાખવું હોય તો નાણાં આપવા પડશે તેમ કહી ધમકી આપી હતી, ૧૦ દિવસ બાદ ઘટનાનું પૂનરાવર્તન
મધ્યરાત્રિએ શખ્સે તેના ત્રણ સાગરિત સાથે આવી બિલ્ડરના ઘર પર પથ્થરમારો કર્યો ઃ અગાઉ નાણાં માંગ્યાના મામલે ફરિયાદ કેમ કરી કહીને બિલ્ડરને ધમકી આપી, સીસીટીવી તોડયા
ભાવનગર : ભાવનગર બાદ બોટાદમાં પણ ગુંડાગર્દી ફુલી ફાલી હોય અને ગુન્હેગારોને જાણે કે કાયદાનો ડર જ ન હોય તેમ બોટાદના બિલ્ડરને તેનું બાંધકામનું કામ ચાલું રાખવું હોય તો પૈસા દેવા પડશે તેવી ધમકી આપી તેમના ઘર પર પથ્થરમારો કરનાર મુખ્ય સૂત્રધાર સહિતના ચાર શખ્સોએ ૧૦ દિવસ બાદ ગત મધ્યરાત્રિએ ફરી બિલ્ડરના ઘર પથ્થરમારો કર્યો હતો. અને ૨૮ લાખની ખંડણી માંગી ઘરની બહાર મુકેલાં સીસીટીવી કેમેરા તોડી નાંખ્યા હતા. બનાવ અંગે બિલ્ડરે ૧૦ દિવસમાં ફરી વખત ચાર શખ્સો સામ બોટાદ પોલીસ સ્ટેશનમાં ધમકી આપી, નુકશાન કર્યાની તથા ખંડણી માંગ્યાની ફરિયાદ નોંધાવી છે.
