'ચૂંટણીમાં ચોરી કરી મોદી PM બન્યાં, GenZ ને બતાવીશું..' બિહાર અંગે પણ રાહુલ ગાંધીના આરોપ
Published: November 7, 2025 •
Language: English

Rahul Gandhi: ચૂંટણી પંચ (EC) દ્વારા મત ચોરીના દાવાઓ ફગાવી દેવાયા હોવા છતાં, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું કે, તેઓ આ બાબતે તપાસ ચાલુ જ રાખશે. તેમણે જણાવ્યું કે, ‘અમારી પ્રક્રિયા અટકી નથી અને અમારી પાસે ઘણી બધી બાબતો છે. જે સાબિત કરશે કે ચૂંટણી પંચ કેવી રીતે ગેરરીતિઓ આચરી રહ્યું છે. આ દરમિયાન, તેમણે ‘જનરેશન ઝેડ’ (Gen Z) ને જાગૃત કરવાની વાત કરતાં કહ્યું કે, ‘અમે દેશના યુવાનોને જણાવીશું કે PM નરેન્દ્ર મોદી ચૂંટણીમાં ચોરી કરીને કેવી રીતે વડાપ્રધાન બન્યા છે.’
હરિયાણા ચૂંટણી ‘હોલસેલ ચોરી’ હતી: રાહુલ ગાંધીનો આક્ષેપ
