Gujarati News

કામગીરીના કારણે રસ્તો બંધ:વડોદરા શહેરના વિવિધ માર્ગો પર ડ્રેનેજ કામગીરીના કારણે રસ્તાઓ બંધ રહેશે, જાણો વૈકલ્પિક વ્યવસ્થા

Published: November 7, 2025 • Language: English

વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરમાં વિવિધ જગ્યાએ કામગીરીના કારણે કેટલાક રસ્તા બંધ રહેશે. જેમાં ડ્રેનેજ લાઈનની કામગીરીને લઈ શહેરના લાલકોર્ટથી ગાંધીનગરગૃહ તરફ જતો રસ્તો અને ભક્તી સર્કલ કાલુપુરા રોડ નાકાથી શ્રી છત્રપતી શિવાજી અતિથી ગૃહ સુધીનો રસ્તો તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે. જ્યારે ગાંધીનગરગૃહ સર્કલથી ભક્તી સર્કલ તરફનો માર્ગ હેવી વાહનો માટે બંધ રહેશે. આ સાથે શહેરના લહેરીપુરા ગેટથી કાલુપુરા સેન્ટ્રલ સ્ટોર વાળા રસ્તે થઇ છત્રપતિ શિવાજી અતિથિગ્રુહ સુધી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી કરવાની હોવાથી લહેરીપુરા ગેટથી પદ્માવતી (મહાકાળી મંદિર) સુધીનો રોડ ખુલ્લો રહેશે. તેમજ પદ્માવતી-લાલકોર્ટથી ગાંધીનગરગૃહ તરફ જતો રસ્તો તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે. આ સાથે શહેરના ગાંધીનગરગૃહ સર્કલથી ભક્તી સર્કલ તરફથી આવતો વન-વે રોડ અડધો રોડ ટુ-વ્હિલર તેમજ નાના ફોર-વ્હિલર વાહનો માટે ખુલ્લો રહેશે, તેમજ હેવી વાહનો માટે બંધ રહેશે. સાથે ભક્તી સર્કલ કાલુપુરા રોડ નાકાથી શ્રી છત્રપતી શિવાજી અતિથી ગૃહ સુધીનો રોડ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે. આ કામગીરી દરમ્યાન મોટા મશીનરીની અવર જવર રહેતી હોવાથી તમામ પ્રકારના હેવી વાહનો માટે બંધ રહેશે. નાગરિકોએ અવર જવર માટે નજીકના વૈકલ્પિક બીજા અન્ય રસ્તાઓનો ઉપયોગ કરવાનો રહેશે. સહારા ડભોઇ રોડ મહાનગર નાળા બીએસયુપીના આવાસો તરફથી ભરતવાડી ચાર રસ્તાથી પટેલ એસ્ટેટથી ગાજરાવાડી ટાંકી સુધી મેન્યુઅલ પુશીંગ પધ્ધતીથી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી માટે પ્રતાપનગરથી સોમા તળાવ તરફ જતા પટેલ એસ્ટેટ ચાર રસ્તાથી મહાનગર તરફનો રસ્તો હેવી વાહનો (ટ્રક તથા બસ) માટે કામ પૂર્ણ થતા સુધી બંધ રહેશે. જેના વિકલ્પ માટે ગાજરાવાડી પટેલ એસ્ટેટથી ગાજરાવાડી પાણી થી આરસીસી રોડ થઇ ગણેશનગર ત્રણ રસ્તા સુધીનો રસ્તો તથા બીજા અન્ય રસ્તાઓનો ઉપયોગ કરવાનો રહેશે.

Read more

← Back to Home