‘રાજકારણ પરિવારોની મિલકત નથી’ થરૂરે અનેક નેતાના નામ સાથે વંશવાદ પર સાધ્યું નિશાન
Published: November 4, 2025 •
Language: English

Shashi Tharoor On Nepotism Politics : કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ શશિ થરૂરે ભારતીય લોકશાહીમાં વંશવાદની રાજનીતિ પર આકરા પ્રહાર કર્યો છે. થરૂરે પોતાના લેખ “ઈન્ડિયન પોલિટિક્સ અને ફેમિલી બિઝનેસ”માં વંશવાદને દેશના લોકતંત્ર માટે ગંભીર ખતરો ગણાવ્યો છે.
ભારતે વંશના બદલે યોગ્યતાને પસંદ કરવી જોઈએ : થરૂર
શશિ થરૂરે લખ્યું છે કે, ‘લોકશાહીનું સાચું વચન ‘જનતાની સરકાર, જનતા દ્વારા, જનતા માટે’ ત્યારે જ પૂરું થઈ શકે છે, જ્યારે ભારતીય રાજકારણ પરિવારોની મિલકત બનવાનું બંધ થાય. હવે સમય આવી ગયો છે કે ભારતે વંશના બદલે યોગ્યતાને પસંદ કરવી જોઈએ.
