Gujarati News

ફીની આવકમાં વૃદ્વિથી બેંકોની નફાશક્તિમાં વધારાને વેગ મળ્યો

Published: November 9, 2025 • Language: English

મુંબઈ : દેશની સ્થાનિક બેંકો માટે ફી આવક નફાકારક માર્ગ બન્યો છે. બેોકના ચોખ્ખા વ્યાજ માર્જિન (એનઆઈએમ) અને ટ્રેઝરી આવક પર દબાણ સામે બેંકોની ફી આવકમાં વૃદ્વિ નફા માટે સહારો બની છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને એચડીએફસી બેંક બન્ને માટે ફી આવક છેલ્લા ત્રિમાસિકમાં ૨૫ ટકાથી વધુ વધી છે. ટોચની પીએસયુ અને ખાનગી ક્ષેત્રની બેંકોએ ૩૧, ડિસેમ્બરના પૂરા થયેલા ત્રિમાસિકમાં ફી આવકમાં અનુક્રમે ૧૬ ટકા અને ૧૯ ટકા જેટલો વધારો નોંધાવ્યો છે. જે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા તેના વ્યાજ દર ઘટાડાનું ચક્ર શરૂ થયું તે પહેલાનો છેલ્લો ત્રિમાસિક હતો.

Read more

← Back to Home