Gujarati News

ધોલેરા નજીક પંકચર કરી રહેલા ડમ્ફર સાથે ડમ્ફર અથડાતા યુવાનનું મોત

Published: December 1, 2024 • Language: English


મૃતકના ભાઈએ ડમ્ફર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી 

કુંભારવાડાનો યુવાન ડમ્ફરમાં નાગનેશથી ધોલેરા તરફ જતો હતો ત્યારે અલીયાસર મંદિર નજીક પંકચર પડયું હતું ઃ ટાયર બદલતી વેળાએ બે વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો

ભાવનગર : ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર આવેલાં ધંધુકા ધોલેરા રોડ ઉપર અલીયાસર મહાદેવ મંદિર પસાર કરી આશરે બે કિમી દૂર ભડીયાદ તરફ ડમ્પરમાં પંકચર કરી રહેલા ડમ્પર સાથે અથડાતા રાણપુર યુવાનનું મોત નિપજ્યું હતું.

બનાવની વિગત એવી છે કે, બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કુંભારવાડા ખાતે રહેતા વિશાલભાઈ નટુભાઈ ભોજવિયા ગત તા.૨૯ ના રોજ  આશરે સાડા સાતેક વાગ્યાના સુમારે  તેના શેઠ કિશોરસિંહ ઝાલાનું ડમ્ફર નંબર જીજે-૩૩-ટી-૮૮૮૩ ના ડ્રાઈવર સાબભા પરમારની સાથે નાગનેશથી ધોલેરા ટાટા કંપનીમાં જવા માટે નિકળ્યા હતા.

← Back to Home