Gujarati News

કલેક્ટરની બેઠક:દેવમોગરા પાંડુરી માતાના મંદિર પરિસરમાં સફાઇ, રાતોરાત નવા થાંભલા લાગી ગયાં

Published: November 11, 2025 • Language: English

દેડિયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને અનુલક્ષી દેવમોગરામાં પાંડુરી માતાના મંદિરના પરિસરની સફાઇ કરવામાં આવી છે તેમજ લાઇટો માટે રાતોરાત નવા થાંભલાઓ લગાવી દેવામાં આવ્યાં છે. ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતિ નિમિત્તે 15 મી નવેમ્બરના રોજ દેડિયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાનો જનજાતિય ગૌરવ દિવસ કાર્યક્ર્મ યોજાનાર છે. જેના ભાગરૂપે જિલ્લા કલેકટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાંડો. બાબા સાહેબ આંબેડકર હોલમાં આયોજન અમલવારી અંગે બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેકટરએ કાર્યક્રમના આગોતરા આયોજન દરમિયાન વિવિધ સમિતિ દ્વારાકરવાની કામગીરી અને વ્યવસ્થા અંગે વિસ્તૃતમાં માહિતી મેળવી હતી. જેમાં બેરીકેટીંગની વ્યવસ્થા, લોકોનેબેસવાની વ્યવસ્થા, પીવાના પાણી, મંડપ, લાઇટ દેવ મોગરા મંદિર પરિસરમાં અને આસપાસની જગ્યાનીસાફ-સફાઈની કામગીરી, ફાયર સેફ્ટી, આરોગ્ય વિભાગ તરફથી કરવામાં આવતી કામગીરી, વીજ પુરવઠો, પાર્કિગ સહિતની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં સંબંધિત અધિકારીઓને સુચનાઓ આપી હતી. બેઠકમાં એસપી વિશાખા ડબરાલ, ડીડીઓ આર. વી.વાળા, પ્રાયોજના વહીવટદાર અંચુ વિલ્સન, અધિક નિવાસી કલેક્ટર સી.કે. ઉંધાડ સહિતના અધિકારીઓ હાજર રહયાં હતાં.

Read more

← Back to Home