ઈક્વિટી ફંડોમાં રોકાણ પ્રવાહ 19 ટકા ઘટયો
Published: November 12, 2025 •
Language: English

મુંબઈ : દેશના પ્રાઈમરી માર્કેટમાં જંગી રકમના આઈપીઓ અને બીજી તરફ સેકન્ડરી માર્કેટમાં ટૂંકાગાળાનો તેજીનો દોર જોવાતાં રોકાણકારો આ બન્ને સેગ્મેન્ટમાં રોકાણ તરફ વળતાં અને બીજી તરફ ઘણા મ્યુચ્યુઅલ ફંડોની નેટ એસેટ વેલ્યુ (એનએવી) ડામાડોળ થવા લાગતાં રોકાણકારો સાવચેત બન્યા છે. જેના પરિણામે ઓકટોબર ૨૦૨૫ મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ પ્રવાહ સપ્ટેમ્બર ૨૦૨૫ના રૂ.૩૦,૪૨૨ કરોડની તુલનાએ ૧૯ ટકા ઘટીને રૂ.૨૪,૬૯૧ કરોડ નોંધાયો છે. જ્યારે નિફટી ૫૦ ઈન્ડેક્સ અને સેન્સેક્સમાં આ મહિનામાં ચાર ટકાની વૃદ્વિ થઈ છે.
